આ આત્મકથામાં ગઈ સદીના વચલા દાયકાઓમાં દેશનાં નાનાં ગામોમાં તેમ મુંબઈ જેવા શહેરમાં સામાન્ય લોકો હાડમારીભર્યું જીવન કેમ જીવતા એનું એમણે વર્ણન કર્યું છે. વધુમાં એમની સાવરકુંડલાથી અમેરિકાની રાજધાની વૉશિન્ગટન સુધીની જીવનયાત્રા અને વૉશિન્ગટનને નાણાંકીય રીતે સધ્ધર બનાવવામાં એના સીએફઓ તરીકે એમણે જે ભાગ ભજવ્યો તેની રસપ્રદ વાત પણ કરી છે. ૨૦૧૯માં એમની આત્મકથા Still the Promised Land ઇંગ્લીશમાં પણ પબ્લિશ થઈ છે.