" પ્રેમ એવી વસ્તુ છે જેનાથી પથ્થર પણ પીગળી જાય તો આપણે તો માણસો છીએ. માણસો પર શું અસર ના થાય. પણ એ કેવો પ્રેમ જોઈએ ?
પ્રેમ વ્યાખ્યા સહિત હોવો જોઈએ. ગમે તેને આપણે પ્રેમ કહીએ એ ના ચાલે. આ ખબર ન હોવાને કારણે જ તો આપણે મિત્રને, ભાઈ-બહેનને ભરપૂર પ્રેમ કરતા હોવા છતાં એમની સાથે ઝઘડો થઈ જાય છે અને એકબીજાથી નારાજ થઈને ફરીએ છીએ. આપણે ક્યારેય વિચાર કયાર્ંે છે કે આવું કેમ થતું હશે ?
પરમ પૂજ્ય દાદાશ્રીએ સાચો પ્રેમ કોને કહેવાય એની સુંદર વ્યાખ્યા આપી છે. સાથે સાથે પ્રેમસ્વરૂપ કેવી રીતે બનાય એની પણ સુંદર સમજણો આ અંકમાં મૂકી છે.
તો આવો, આપણે પણ પ્રેમસ્વરૂપ બનીએે અને બધા સાથે પ્રેમથી રહીએ.
"