Mehsana city news in gujrati

Page 1

પોલિટૂન અરે આ કયું શરૂ કરી દીધું? આપણે તો ફ્રી વાય-ફાય, ફ્રી વીજળીપાણીવાળું નાટક જોવા આવ્યાં હતાં!

આપ ડ્રામા કંપની

વિધાનસભા ડાયરી

શક્તિસિંહ અને પ્રદીપસિંહ તમે પછીથી બહાર જઇને ચર્ચા કરી લેજો: અધ્યક્ષ

ક્તિસિંહ ગોહિલે મુદ્દાસરની માહિતી રજૂ કરીને પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. જેના કારણે ગૃહના વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. શક્તિસિંહે વાત રજૂ કરી પોતાના સ્થાને બેઠા પછી મહેન્દ્રસિંહ બારૈયાએ પોતાનો પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો અને તેમની વાત ચાલુ હતી તે દરમિયાન મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને શક્તિસિંહ ગોહિલ એકબીજા સાથે દલીલો કરતા હતા. આ જોઇ અધ્યક્ષ ગણપત વસાવાએ હળવા મૂડમાં કહ્યું હતું કે, શક્તિસિંહ અને પ્રદીપસિંહ તમે પછીથી બહાર જઇને ચર્ચા કરી લેજો.

સભ્યો અભિનંદન, આવકાર અને વ્યંગ્યાત્મક ઉલ્લેખો ટાળે: અધ્યક્ષ

વિ

ધાનસભામાં એક કલાકના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન શાસકપક્ષના સભ્યો પ્રશ્ન પૂછવા ઊભા થાય ત્યારે કોઇને કોઇ બાબતે મુખ્યમંત્રી તથા સરકારને અભિનંદન પાઠવતા હોય છે જ્યારે વિપક્ષના સભ્યો વ્યંગ્યાત્મક ઉલ્લેખો કરતા હોય છે. જેના કારણે પ્રશ્નોત્તરી દરમિયાન વધુ સમય બગડે છે. આના અનુસંધાને અધ્યક્ષ ગણપત વસાવાએ ગૃહના તમામ સભ્યોને અભિનંદન, આવકાર કે વ્યંગ્યાત્મક ઉલ્લેખો નહીં કરવા વિનંતી કરી હતી. અધ્યક્ષે જણાવ્યું હતું કે, બંને પક્ષો આ પ્રકારની ટીકા ટિપ્પણથી દૂર રહે તો સમયનો સદ્ઉપયોગ કરી પ્રજાના પ્રશ્નોને વાચા આપી શકીએ.

નાણામંત્રીશ્રી, આ પશુઓના પ્રશ્નમાં તમને ખબર નહીં પડે!

ડોદરામાં પશુઓના મોત બાબતે વિધાનસભામાં નિયમ 116 હેઠળ તાકીદની જાહેર અગત્યની બાબત અન્વયે ચર્ચા ચાલતી હતી. અન્ય સભ્યોના પ્રવચન બાદ કોંગ્રેસના ગોવાભાઇ રબારી પોતાનું પ્રવચન આપી રહ્યા હતા. તેઓ એકદમ લાગણીશીલ બનીને પોતાની વાત રજૂ કરી રહ્યા હતા ત્યારે નાણાંમંત્રી સૌરભ પટેલે વચ્ચે કોમેન્ટ કરતા ગોવાભાઇએ કહ્યું હતું કે, નાણાંમંત્રીશ્રી, આ પશુઓનો પ્રશ્ન છે, તમને ખબર નહીં પડે.

તમે અધ્યક્ષને ડિટેક્ટ ન કરો, સ્પીકરને બોલવા દો: શક્તિસિંહ

પ્ર

શ્નોત્તરીના જવાબમાં મંત્રીઓ દ્વારા એકસરખા જ બે પ્રશ્નમાં અલગ અલગ માહિતી આપવામાં આવી હોવાનો પોઇન્ટ ઓફ ઓર્ડર કોંગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યો હતો અને તેના તેમણે પુરાવા પણ રજૂ કર્યા હતા. તેમણે ગંભીર રીતે પોતાનો પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી અધ્યક્ષને યોગ્ય આદેશ આપવા વિનંતી કરી હતી, તે વખતે હજુ અધ્યક્ષ કશું બોલે તે પહેલા જ મંત્રીઓએ દલીલ કરવાનું શરૂ કરી દેતાં શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટ કહ્યું હતું કે, તમે અધ્યક્ષને ડિટેક્ટ ન કરો, આ સ્પીકરની બાબત છે અને તેમને જ બોલવા દો.

શક્તિસિંહે પ્રશ્ન પૂછતાં જ નીતિન પટેલ જવાબ આપવા ઊભા થઇ ગયા

વિ

ધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વિવિધ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીઓને જવાબ આપવાની તક અપાય છે. ગુરુવારે આરોગ્ય વિભાગના પ્રશ્નો વધુ હોવાથી રાજ્યકક્ષાના મંત્રી શંકર ચૌધરી સભ્યોના પ્રશ્નો અને પેટાપ્રશ્નોના જવાબ આપતા હતા. પરંતુ સરકારને આક્રમકરીતે ઘેરવા માટે જાણીતા કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે મેડિકલ કોલેજોમાં ખાલી જગ્યાઓ અંગેનો પ્રશ્ન પૂછતાંની સાથે જ નીતિન પટેલે જવાબ આપવા ઊભા થઇ ગયા હતા. જ્યારે અન્ય તમામ પ્રશ્નોના જવાબ શંકર ચૌધરીએ આપ્યા હતા.

મોસાળે મા પીરસનારી અને ઘરના છોકરા ઘંટી ચાટે એવંુ છે !

ગાર વધારાની માગણી બાબતે શરમાતા ધારાસભ્યોને પારદર્શકતા લાવવા માટે પગાર વધારો જરૂરી છે તેવી લાગણી વ્યકત કર્યા પછી પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલે કહ્યું હતું કે આપણે ધારાસભ્યો ઉદ્યોગોની માગણી સંતોષીએ, કોલેજો વાળા ફી વધારે, પાથરણાવાળાના પણ યુનિયન છે, પણ આપણી વાત આવે ત્યારે આપણું કોઇ સાંભળે નહીં એટલે આ તો મોસાળે મા પિરસનારી અને ઘરના છોકરા ઘંટી ચાટે એવી વાત છે !

4

¾|મહેસાણા|શુક્રવાર|13 માર્ચ|2015

પ્રતિભાવ| કોંગ્રેસના પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલનું વિધાન

રાજકારણને ભ્રષ્ટાચાર મુક્ત કરવું હોય તો ધારાસભ્યોનો પગાર વધારો ધારાસભ્યોના પગાર-ભથ્થામાં કરાયેલો વધારો

સરકારે આ બાબત વિચારવાની ખાતરી આપી

વિગત 2008 બેઝિક 8000 પોસ્ટ-સ્ટેશનરી 3000 અંગત મદદનીશ 3000 ટેલિફોન બિલ 4000 કોન્સીલિટેડ એલાઉન્સ 5940

ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર

ગુજરાત વિધાનસભામાં સામાન્ય વહીવટ વિભાગની માગણીનો પ્રસ્તાવ મુખ્યમંત્રી વતી સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી રમણલાલ વોરાએ રજૂ કરી હતી. આ માંગણી સંદર્ભે પ્રતિભાવ આપતા કોંગ્રેસના પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલે એવી રજૂઆત કરી હતી કે દિવસે દિવસે મોંઘવારી વધી રહી છે. આ મોંઘવારીમાં છેલ્લા કેટલાક વર્ષથી ધારાસભ્યોના પગારમાં ગાંધીનગર કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. વળી, વર્ષ 2005 પછી જે પગારમાં વિસંગતતા છે એટલે કે ભથ્થામાં જે વિસંગતતા છે તે દૂર કરાઇ નથી. તેમાં કોઇ ફેરફાર કર્યો નથી. દિવસે દિવસે મોંઘવારી વધે છે ત્યારે રાજકારણને ભ્રષ્ટાચારથી બચાવવું હોય તો આપણે પગાર વધારો કરવો જોઇએ. રાજ્ય સરકાર ધારાસભ્યોના પગારમાં કોઇ ફેરફાર કરવાનું વિચારે છે કે નહીં , તેવો પ્રશ્ન તેમણે ઉપસ્થિત કર્યો હતો. તેમના પ્રશ્નના જવાબમાં પ્રથમ તો મંત્રી વોરાએ કહ્યું હતું કે આપણે સેવાની ભાવનાથી

રાજકોટમાં હોકર્સ ઝોનમાં પૂરતી સુવિધા આપવાની માગણી સાથે રેલી

2010 21000 3000 3000 4000 10850

2012 21000 3000 3000 4000 22320

રાજકોટમાં મનપાએ બનાવેલા હોકર્સ ઝોનમાં પૂરતી સુવિધા આપવાની માગણી સાથે કોંગી ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રેલી કાઢી મ્યુનિ. કમિશનર વિજય નેહરાને આવેદનપત્ર પાઠવ્યું હતું. / ભાસ્કર

...નહીં તો બાહુબલીઓ જ રાજકારણમાં આવશે

FSL અને વિશેરાનો રિપોર્ટ આવ્યા બાદ પગલાં લેવાની કૃષિમંત્રીની ખાતરી

નિરંજન પટેલે ગૃહની બહાર પત્રકારોની સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જો તમે પગાર ન આપો તો ધારાસભ્ય તેનો ખર્ચ કયાંથી કાઢે , સમાજમાંથી ભ્રષ્ટાચારને દૂર કરવો હોય તો પ્રજાએ તેમના સેવકોનો ખર્ચ ઉઠાવવો જોઇએ. પગાર નહીં વધે તો આ ક્ષેત્રમાં બાહુબલીઓ આવશે, સારા વ્યકિત નહીં આવે.

વડોદરા પાંજરાપોળમાં 101 પશુઓનાં મોત પાછળ સરકારની બેદરકારી: વિપક્ષ

પગાર વધારો બધાને ગમે છે, મર્દ હોય તે સ્વીકારે

મંત્રી રમણલાલ વોરાએ પગાર વધારાની માગણીનો પ્રત્યુત્તર આપ્યા પછી થોડા ઉગ્ર બનેલા ધારાસભ્ય નિરંજન પટેલે કહ્યું હતું કે વિધાનસભા પગાર-ભથ્થા સમિતિની ભલામણ છે અને જે વિસંગતતા છે તે દૂર કરવાની માગણી કરી છે. પગાર વધારવાનું બધાને ગમશે, પણ મર્દ હોય તેણે સ્વીકારવું જોઇએ.

આવીએ છીએ ત્યારે આર્થિક વળતરની અપેક્ષા ન રાખવી જોઇએ, આમ તેમણે ધારાસભ્યની માગણીનો અસ્વીકાર કરતા જ ધારાસભ્યે તેમની વાત મંત્રી બરાબર સમજ્યા નથી તેમ કહીને તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમનો ઇરાદો માત્ર પગાર વધારવાની માગણીનો નહીં,

ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર

પણ ધારાસભ્યોને જે ગ્રેડમાં સમાવવામાં આવ્યા છે તે ગ્રેડ નીચો છે, એક લોકપ્રતિનિધિ તરીકે તેમનો ગ્રેડ ઊંચો હોવા જોઇએ તેવું તેમનું કહેવું છે. તેમની આવી સ્પષ્ટતા પછી મંત્રી વોરાએ રાજ્ય સરકાર આ બાબતે વિચારણા કરશે તેવી તેમણે​ે ખાતરી આપી હતી.

ગુજરાત વિધાનસભાગૃહમાં વડોદરા જિલ્લાની બે પાંજરાપોળમાં મકાઇના લીલા નીરણ ખાવાના કારણે 101 કરતાં વધુ પશુના મૃત્યુ નીપજ્યા હોવાનો મુદ્દો કોંગ્રેસે ઉઠાવી શાસકપક્ષને ગાંધીનગર ભીંસમાં લેવા પ્રયાસ કર્યો હતો. તાકીદની જાહેર અગત્યની બાબત અંતર્ગત કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઇ વંશે આ મુદ્દો ગૃહમાં ઉઠાવ્યો હતો. વડોદરાની

દરજીપુરા અને સયાજીગંજ પાંજરાપોળમાં લીલી મકાઇનું નીરણ ખાવાના કારણે ગાય અને ભેંસ સહિત 41 પશુના મૃત્યુ નીપજ્યા હતા. 5મી માર્ચે દરજીપુરામાં આ બનાવ બન્યો હતો અને પશુપાલન વિભાગને જાણ થઇ છતાં 7મી માર્ચે પણ અન્યત્ર સયાજીપુરાની પાંજરાપોળમાં વધુ 30 પશુના મૃત્યુ નીપજ્યાં હતા. કોંગ્રેસના આક્ષેપો સામે કૃષિમંત્રી બાબુ બોખીરિયાએ જવાબ

વડોદરામાં વાતાવરણમાં પલટો આવતાં વરસાદ વરસ્યો : અાજે અને કાલે વરસાદની આગાહી પાંચ IASને

પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે પ્રમોશન ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર

આપતાં સંચાલક ઉપર દોષારોપણ કર્યા હતા તેમજ સરકારનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો સામે વિપક્ષના ધારાસભ્ય ગોવાભાઇ રબારીએ ગૌરક્ષાની વાત કરતી સરકારમાં પશુ ડોકટરની બેદરકારી છતી થઇ હોવાનો આક્ષેપ કર્યો હતો. પરંતુ મંત્રીએ બચાવ કરી આ બનાવની તપાસનો, વિસેરા અને એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ પગલાં લેવાની ખાતરી ગૃહમાં ઉચ્ચારી હતી.

સ્ટેટ બ્રિફ

ભુજ - કચ્છના વાગડ પંથકમાં દુધઇ નજીક 3.1નો આંચકો નોંધાયો

વાગડમાં આંચકાની સતત વણઝાર ચાલુ રહે છે, ત્યારે ગુરુવારે ધોળાવીરાથી 95 કિ.મી. દૂર પાકિસ્તાન સરહદ પર 2.9નો આંચકો આવ્યો હતો, તે બાદ આજે ધોળાવીરા નજીક ફરી 1.3નું કંપન આવ્યું હતું, તે ઉપરાંત દુધઇ નજીક 1.7નો આંચકો આવ્યો હતો. ગત રાત્રે 10:19 કલાકે 3.1નો આંચકો દુધઇ નજીક નોંધાયો હતો.

રાજ્ય સરકારે ગુજરાત કેડરના 1990 બેચના પાંચ આઇએએસ અધિકારીઓને પ્રિન્સીપલ સેક્રેટરી તરીકેના પ્રમોશનનો આદેશ કર્યો છે. જેમાં વાહન વ્યવહાર કમિશનર કમલ દયાની, જીએસપીસીના જોઇન્ટ એમડી મનોજકુમાર દાસ, સેટલમેન્ટ કમિશનર મનોજ અગ્રવાલ, ના. પુરવઠા નિગમના એમડી સી.વી.સોમ અને કૃષિ વડોદરા શહેરમાં વધી રહેલી ગરમી વચ્ચે ગુરુવારે બપોરે વાતાવરણમાં અચાનક પલટો આવતાં શહેરના જુદાજુદા વિસ્તારોમાં વરસાદનું હળવું ઝાપટું વરસતાં વિભાગના સચિવ અરૂણ સોલંકીને શહેરીજનોને આશ્ચર્ય થયું હતું. દરમિયાન હવામાન વિભાગે આવતીકાલે શુક્રવાર તેમજ શનિવારે હળવો વરસાદની આગાહી કરી હોઇ ગરમી અને વરસાદની અગ્રસચિવ તરીકે બઢતી આપી તે જ બેવડી ઋતુને કારણે રોગચાળાની પરિસ્થિતિ સર્જાવાની દહેશતથી શહેરીજનોમાં ચિંતાનું મોજું ફેલાયું છે. જગ્યાએ યથાવત રખાયા છે.

વડોદરા - ટાંકીમાં પિચકારી ભરવા જતાં ડૂબી ગયેલા બાળકનું મોત

ગુજરાતમાં ત્રણ વર્ષમાં 58.74 લાખ આરોગ્ય વીમા કાર્ડ જારી થયા ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર

10 ફૂટ લાંબો અજગર પકડાયો

દેશના શ્રમ અને રોજગાર મંત્રાલયે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં એવી મહત્વપૂર્ણ માહિતી આપી હતી કે, દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં 29 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ 10.72 કરોડ આરોગ્ય વીમા કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે. આમાં ગુજરાતમાં 58.74 લાખ કાર્ડ ગુજરાતમાં, ઝારખંડમાં 50.19 લાખ આરોગ્ય વીમા કાર્ડ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ જારી કરવામાં આવ્યા છે. રાજ્યસભામાં પરીમલ નથવાણીએ છેલ્લા ત્રણ વર્ષમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ કેટલાં આરોગ્ય વીમા કાર્ડ જારી કરવામાં આવ્યા છે તે વિષે માહિતી માંગી હતી. આ સંદર્ભમાં કેન્દ્રીય પ્રધાન બંડારૂ દત્તાત્રેયે વધુમાં કહ્યું હતું કે, દેશના કુલ 29 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી બે રાજ્યો અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ યોજના અમલમાં મૂકવામાં આવી ન હતી, જ્યારે પાંચ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં આ યોજના થોડા સમય માટે અમલમાં મૂક્યા બાદ બંધ કરવામાં આવી હતી.

સાવલીમાં ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા પહેલાં જ અસામાજિક તત્વોનું કૃત્ય

ચાર પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવીની તોડફોડ અને વાયરો કાપી નાખતા તંત્રમાં દોડધામ ભાસ્કર ન્યૂઝ. સાવલી

સાવલી નગરના ચાર પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરાની તોડફોડ અને વાયરો કાપી નાખતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જિલ્લા શિક્ષણ અધિકારી સાવલી ખાતે દોડી આવ્યા તેમજ પરીક્ષા કેન્દ્રો પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સાવલી નગરમમાં ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષામાં 6 પરીક્ષા કેન્દ્રોમાં સાવલી 1984 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર હોઇ શિક્ષણ તંત્ર દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા લગાડી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. પરીક્ષાના પ્રથમ દિવસે જ સવારના સાતેક વાગ્યાના અરસામાં ઉપાસના મંદિર પરીક્ષા કેન્દ્ર ખાતે સ્થળ સંચાલક પહોંચતા પરીક્ષા કેન્દ્રોની દિવાલો પર લગાડેલ સીસીટીવી કેમેરા તુટેલી

હાલતમાં તેમજ તેને સપ્લાય કરતા વાયરો તોડી નાખેલી હાલતમાં જોતા તેઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરી હતી. તેમજ સાવલી પોલીસને પણ જાણ કરી હતી. તેવામાં સાવલી નગરના એચ.પી.શેઠ કન્યા વિદ્યાલય, તાલુકા કુમાર શાળા, અને જયહીન્દ વિદ્યાલય પરીક્ષા કેન્દ્રોમાં પણ કોઇ હરામખોરોએ સીસીટીવી કેમેરાની તોડફોડ કરી તેને સપ્લાય કરતા વાયરો પણ કાપી નાખ્યાની જાણ થતા તંત્રમાં દોડધામ મચી

જવા પામી હતી. બનાવની જિલ્લા શિક્ષણ અધિકારી નવજાત મહેતાએ ગંભીરતા પૂર્વક નોંધ લઇ તાત્કાલિક સાવલી ખાતે દોડી આવી ચારેય પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઇ સ્થળ સંચાલકોને જરૂરી સૂચનાઓ આપી પોલીસ ફરિયાદ નોંધાવવા તેમજ રાત્રીના વોચ કડક કરવાની સુચના આપી હતી. સાવલીના ચાર પરીક્ષા કેન્દ્રોમાં ઉપાસના મંદિર ખાતે 16 સીસીટીવી કેમેરામાંથી 11 કેમેરા, જય હિન્દ વિદ્યાલય ખાતે 7માંથી 2 કેમેરા, તાલુકા કુમાર શાળા ખાતે 11માંથી 2 કેમેરાને નુકસાન કરતાં બંધ રહ્યા હતાં. જ્યારે એચ.પી.શેઠ કન્યા શાળામાં તો મુખ્ય સપ્તાહના વાયરો જ કાપી નાખતા તમામ કેમેરા બંધ રહ્યા હતાં. વળી અહીયા તો શાળાના પાછળના ભાગે બારીને બાકોરુ પાડીને અંદર પ્રવેશી વાયરો કાપી કેમેરાની પણ તોડફોડ કરવામાં આવી હતી.

કરોડિયાગામમાં બુધવારે અન્ડરગ્રાઉન્ડ ટાંકીમાંથી પિચકારી ભરવા જતાં દોઢ વર્ષીય ગૌરવ દિનેશભાઈ નિખલે નામનું બાળક પાણીમાં પડી ગયું હતું. માતાએ બુમો સાથે તેને બચાવવાનો પ્રયત્ન કરતા આસપાસના લોકોએ તેમની મદદ કરી બાળકને બહાર કાઢ્યું હતું. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોડી રાત્રિ બાદ તેનું મોત થયું હતું. પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડ | પાથરી ગામે દત્તાત્રય મંદિરની પાછળ આંબાવાડીમાંથી 10 ફુટ લાંબો અજગર મળી આવ્યો હતો. વાડીનાં વાંસનાં ઢગલામાં સંતાઇ ગયેલા અજગરને પકડી વન વિસ્તારમાં છોડી દેવાયો હતો.

રાજકોટ- બેકારીથી ત્રસ્ત યુવાને ફાંસો ખાધો, પત્નીએ બચાવી લીધો

જિલ્લા ગાર્ડન પાસેના સોરઠિયાપ્લોટમાં રહેતા બિપીન હરિ સોલંકી (ઉ.વ.26)એ બેકારીથી ત્રસ્ત બની ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. જોકે યુવાને ફાંસો ખાધો ત્યારે જ તેની પત્ની પ્રિયાની નજર પડી જતાં તેણે બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા અને બિપીનને નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી.

‘પ્રત્યેક ધનવંત, યશવંત, ગુણવંત આખરે તો નાશવંત’

એ લખે છે ત્યારે એમની કલમને શબ્દોની સાથે ટહુકા ઊગે છે. એ બોલવા ઊભા થાય છે ત્યારે માઇક ગેલમાં આવી જાય છે. એ િવચારે છે ત્યારે એક નવું જ ચિંતન જન્મ લે છે. એમને એટેક આવ્યો જન્મદિન અને એ સર્વાઇવ થયા ત્યારે સુરેશ દલાલે કહેલું, ‘ગુણવંત નહીં, આપણે બચી ગયા છીએ..!’ માની જેમ જ ભાષાની કાળજી લે છે. ‘માતૃભાષા વંદના યાત્રા’-સાથે એ ફરીવળે છે. તેમના પડખામાં વિશેષ ગુજરાતી ભાષા સલામતી અનુભવે છે. જાણીતા સાહિત્યકાર પદ્મશ્રી ગુણવંત શાહ 12 માર્ચે 78 વર્ષના થયા. એમના જન્મદિવસ નિમિત્તે એમણે એષા દાદાવાળા સાથે ખાસ વાત કરી હતી. {તમે રાંદેરમાં જન્મ્યા, વડોદરા રહો છો. રાંદેર યાદ આવે? ગુણવંત શાહ: એક પ્રસંગ મને યાદ આવે છે. રાંદેરમાં અાસિમ રાંદેરી કરીને જાણીતા શાયર. હું જ્યારે અમેરિકા ગયો ત્યારે સાનહોઝેમાં પહેલીવાર આસિમચાચાને મળ્યો. 98 વર્ષની ઉંમરે એમણે થ્રી-પીસ સૂટ પહેરેલો. એ ઉંમરને ખાઇ ગયા હતા. એમણે એક વાક્ય કહ્યું, જે હું ભૂલી શકું એમ નથી. એમણે કહ્યું, ‘જીવનમાં-યુવાનીમાં કેટલા ઘા પડ્યા હશે ત્યારે આજે આટલી ઉંમરે પણ મને લીલા કાવ્યો સૂઝે છે..!’ ચં.ચી. મહેતાના કાવ્યો ‘ઇલા કાવ્યો’ તરીકે ઓળખાતા જ્યારે આસિમચાચાના કાવ્યો ‘લીલા કાવ્યો’ કહેવાતા. વર્ષો પછી હું આસિમચાચાને મારા મિત્ર રમણ પટેલ સાથે રાંદેરમાં એમના ઘરે મળવા ગયેલો. ત્યારે એ 103 વર્ષના હતા. બસ, એમની સાથેની આ મારી છેલ્લી મુલાકાત. આ પ્રસંગ યાદ કરું છું ત્યારે મને રાંદરે ખૂબ તીવ્રતાથી યાદ આવે છે. { સાહિત્ય જગતમાં ખૂબ ઇર્ષ્યા જોવા મળે છે. તમને કોની થાય છે?

(હસી પડે છે અને હસતાં હસતાં જ કહે છે) હું સંપુર્ણપણે ઇર્ષ્યા મુક્ત નથી જ અને આ મારી કબૂલાત છે. (એ ફરી હસે છે, પૂછે છે સાચું કહું?) મને એક જ માણસની અદેખાઇ આવે-જેને મોટી ઉંમરે પણ ડાયાબિટીસ ન થયો હોય.. { હાર્ટએટેક પછીનો તમારો સ્થાયીભાવ શો છે? પ્રત્યેક ધનવંત, પ્રત્યેક યશવંત, પ્રત્યેક ગુણવંત આખરે તો નાશવંત છે..!! ઇફ યુ રિમેમ્બર ધીસ. યુ બીકમ અ ફિલોસોફર. તમે એટલા ઉંચે જાવ છો કે આ બધું ખરી પડે છે. અને મારું ખરી પડ્યું છે..હું જાણું છું કે કાલે પતી જવાનાે છું. ટુ મોરો આઇ વીલ નોટ બી ધેર. આઇ વીલ બી ધેર-થ્રુ માય લીટરેચર, થ્રુ માય કન્ટ્રીબ્યુશન, થ્રુ માય ક્રિએશન. કોઇ કાર્ડિયોગ્રામ વાંચશે-કોઇ ગીતા ભાષ્ય તો કોઇ મહાભારત ભાષ્ય વાંચશે. હું એમ કરીને જીવવાનો છું. તો મારે આમાં પડવાની શું જરૂર? મારો સ્થાયી ભાવ. { બારમી માર્ચ દાંડીકૂચ, તમારો જન્મદિવસ છે. તમારાં પત્ની બીજી

મુલાકાત / પદ્મશ્રી ગુણવંત શાહ

ઓક્ટોબરે જન્મ્યાં છે. એટલે ગાંધી સાથેનો તમારો નાતો પહેલેથી જ. ગાંધી માટેના વિશેષ આદરનું કારણ આ પણ ખરું? કારણ થોડું જુદું છે. પ્રખ્યાત ઇતિહાસકાર આર્નોલ્ડ ટોયેન્બી એમ કહેતા કે, ‘હું માનવ ઇતિહાસ ભણી નજર કરું છું ત્યારે નિરાશ થઇ જાંઉ છું. પણ જ્યારે હું માનવ ઉત્ક્રાંતિ

તરફ નજર કરું છું ત્યારે આશાવાદી બની જાઉં છું. ’ હું પણ જ્યારે માનવ ઉત્ક્રાંતિ વિશે વિચારું છું ત્યારે મને હંમેશા પ્રશ્ન થાય છે કે હવે પછીનો નેક્સ્ટ જંપ કયો હશે? ગાંધી કહે છે, આંખની સામે-આંખ, ડોકાની સામે ડોકું નહીં લેવું. ઉપવાસ કરવા. પોતાને પીડા આપવી પણ એને પીડા નહીં આપવી. ધીસ ઇઝ ધ નેક્સ્ટ સ્ટેપ ઓફ ઇવોલ્યુશન. આ ગાંધીએ બતાવ્યું છે- એટલે મને એમના માટે ખૂબ આદર છે. { ગાંધીએ તો એવું પણ કહ્યું કે જરૂરિયાતો પર કાબૂ રાખો.. (સવાલને કાપીને) હા કહ્યું. અત્યારે પ્રગતિનો એક જ અર્થ છે. પ્રોગ્રેસ મીન્સ ‘more’. ગાંધી આ સમીકરણને પલટાવી નાંખનારા મહાત્મા છે. એમણે કહ્યું જરૂરિયાતો પર કાબૂ રાખો. અને એટલે મને એમના માટે માન છે. અમેરિકાના ફિલસૂફોએ આ વાત અપનાવી છે અને એક નવી ફિલસૂફીને જન્મ આપ્યો છે-ફિલોસોફી ઓફ ઇનફનેસ. ગાંધી આ જ છે અને એટલે જ મને એમના માટે ખૂબ આદર છે.


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.