Latest surendranagar news in gujrati

Page 1

ઝાલાવાડ ન્યૂઝ ઈન બોક્સ

વઘાડા પાસે ટ્રેકટરે મોટરસાઇકલને અડફેટે લેતા એકને ઇજા

સુરેન્દ્રગર| દસાડા ગામમાં રહેતા અકબરભાઈ જીવાભાઈ કુરેશી મોટરસાઇકલ લઇને દસાડાથી વઘાડા જતાં હતાં. આ દરમિયાન નર્મદા કેનાલ ખારાઘોઢા શાખા નહેર પાસે રાજુભાઈ અરજણભાઈએ ગફલતભરી રીતે ટ્રેકટર ચલાવીને મોટરસાઇકલને અડફેટે લીધુ હતું. આ બનાવમાં અકબરભાઈને ઇજાઓ થતાં દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એ.એસ.આઈ. એ.જી.જુણેજા ચલાવી રહ્યાં છે.

વડોદ મારામારી કેસમાં ખોટુ નામ દાખલ કર્યાની રાવ

સુરેન્દ્રગર| વડોદમાં હુમલો કરી ઇજા કરતા ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે આ બનાવમાં એફ.આઇ.આર.માં નામ ચડાવી ખોટો કેસ કર્યાની એક શખ્સે જિલ્લા પોલીસવડાને રજૂઆત કરી યોગ્ય તપાસની માંગ કરી હતી.વઢવાણ તાલુકાનાં વડોદ ગામમાં મોટરસાઇકલ બાબતે નરશીભાઈએ ઠપકો આપતા ખુશાલભાઇ કરશનભાઈ ચાવડાએ લાકડી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.

મહિલાને ભગાડી ગયાનું મનદુ:ખ રાખી હુમલો કરાયો

સુરેન્દ્રગર | સુરેન્દ્રનગર શહેરના ટાવર પાસે આવેલ મચ્છીમાર્કેટમાં રહેતા સુમનબેન દિલાવરભાઈ ભટ્ટીના ઘરે રોશનબેન આવ્યું હતા. ત્યારે રોશનબેનના દિકરાની વહુ નૂરબાનુને મહમદભાઈ ત્રણ થી ચાર વર્ષ પહેલા ભગાડી લઇ ગયા હતાં. આ બાબતનું મનદુ:ખ રાખીને મહમદભાઇ, હબીબભાઈ અને નૂરબાનુ મહમદભાઈ સુમેનબેનના ઘરે આવીને લાકડાના ધોકાથી હુમલો કર્યો હતો. જેમાં સુમનબેન અને રોશનબેનને ઇજાઓ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

દિગ્વીજયસિંહ રાજપૂત છાત્રાલયમાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

લીંબડી | લીંબડીમાં દિગ્વીજયસિંહ રાજપૂત છાત્રાલય ખાતે વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સ્પર્ધા અને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ દેખાવ કરી ઉત્તિર્ણ થયેલા છાત્રોનું મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. આ પ્રસંગે લીંબડી રાજવી પરિવારનાં છત્રસાલજી યુવરાજ જયદિપસિંહજી, એ.એસ. પી. ટ્રાફિક અમદાવાદનાં રાજદિપસિંહ એન.ઝાલા, મામલતદાર ભગીરથસિંહ ચૂડાસમા, અનુભા ગઢવીએ છાત્રોને પ્રોત્સાહીત કર્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા ગૃહપતી હરપાલસિંહ રાણા તથા સંસ્થાનાં મંત્રી પ્રવિણસિંહ ઝાલા તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

વિરમગામમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા છાત્રોને સ્કુલબેગનું વિતરણ

અમદાવાદ, બુધવાર, 11 માર્ચ, 2015

12મી માર્ચથી ધોરણ-10 અને 12ની પરીક્ષા શરું થઇ રહી છે ત્યારે પરીક્ષા દરમિયાન સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સની મુશ્કેલીઓ અને સોલ્યુશન મેળવવાનો પ્રયાસ

ભય વિના બોર્ડની પરીક્ષા આપવી જોઇએ ફાઈલ તસવીર

ભાસ્કર ન્યૂઝ.અમદાવાદ

રાજ્યમાં આગામી 12 માર્ચથી ગુજરાત બોર્ડના 10 અને 12માં ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે. વિદ્યાર્થીઓએ કોઇપણ ડર વિના બોર્ડની પરીક્ષા આપવી જોઇએ. અહીં આરોગ્યની કાળજી માટે ખાવ-પીવા થતાં અભ્યાસ અંગેના નિષ્ણાતોના મંતવ્યો પ્રસ્તુત છે. જે​ે વિદ્યાર્થીઓ માટે ઘણું ઉપયોગી છે.એક્ઝામ નજીક છે આવામાં કેટલું વાંચી લઉં ω અને કેટ-કેટલા એક્ઝામ પેપર સોલ્વ કરી લઉ આવું વિદ્યાર્થીઓને થતું જ હોય...! જોકે હાલ બનેલા કિસ્સાની વાત કરીએ તો, ‘સમર્થ હોશિયાર હતો. ઘરે દાખલાની પ્રેક્ટિસ કરે તે દરમિયાન દાખલા બરાબર થાય પણ જ્યારે સ્કૂલ કે ટ્યુશનમાં એક્ઝામમાં દાખલા પૂછાય તે દરમિયાન ગૂંચવાઈ જતો. સમર્થની ભૂલ એ હતી કે તે વિવિધ રીતોથી દાખલા કરતો હતો. એક્ઝામમાં ખોટા અેક્સપરિમેન્ટ ન કરવા જોઈએ. તે‘પફોર્મન્સ એન્ક્ઝાઈટી’થી પીડાતો હતો. આ અંગે સાઈક્યિાટ્રીસ્ટ પ્રશાંત ભીમાણી જણાવે છે કે અેક્ઝામ લખતે 30-40 ટકા કન્સલ્ટિંગ વધી જાય છે.

ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર

બોર્ડની તા. 12મીથી શરૂ થનારી પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા માટે લેવાય રહેલા વ્યાપક પગલામાં દરેક કેન્દ્ર પર સીસી ટીવી કેમેરાથી નજર રખાશે. જ્યારે આવી વ્યવસ્થા થઇ શકી નથી તેવા 21 કેન્દ્ર પર ટેબલેટ મુકીને હિલચાલ પર પહેરો રાખવામાં આવશે. ઉપરાંત જિલ્લા કલેકટરે પરીક્ષા કેન્દ્ર અપાયા છે તેવી શાળાઓની આસપાસ ૧ કિલોમીટરના વિસ્તારમાં આવેલા ઝેરોક્ષ સેન્ટર પરીક્ષાના અંતિમ દિવસ સુધી બંધ રાખવા આદેશ કર્યો છે. સાથે જ તમામ પરીક્ષા કેન્દ્રોમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લાદી દેવાયો છે. આધુનિક સંદેશા વ્યવહાર એટલે કે, મોબાઇલ ફોનમાં વોટ્સએપ અને એસએમએસ દ્વારા પણ ચોરી થતી અટકાવવા માટે તમામ પરીક્ષા કેન્દ્રો પર

પેરેન્ટ્સે ધ્યાનમાં રાખવા જેવું :

વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવા જેવું:

વાતો કરી શકાય, વેકેશનમાં ક્યાં ફરવા જવું છે કે પછી આગળ શું પ્રવૃતિઓ કરી શકાય તેવી વાતોથી માહોલ હળવો થશે. } ખાવા માટે બાળકો પર પ્રેશર ના કરવું જોઈએ, જંકફૂડથી દૂર રાખવા જોઈએ. } એક્ઝામ આપવા જાય ત્યારે 3 કલાક બાળકની રાહ જોઈને બેસી ના રહેવું. આવી રીતે પરીક્ષા સેન્ટરનું વાતાવરણ હળવું થશે. } સંબંધો સાચવવા બાળકોને વિશ કરવા માટે સગા-વ્હાલા આવશે તો આમાં વિદ્યાર્થીઓને પણ વાતો કરવા બેસાડવા જરૂરી નથી. બાળકોને સ્પેસ આપો.

વાત કરો. સ્વસૂચન આપો. અને પોતેને શ્રેષ્ઠ પર્ફોમન્સ આપશે તેવી પ્રેરણા લઈ સૂઈ જાઓ. } જે ટોપિક્સની તૈયારીઓ સારી કરી છે તેના પર જ વધુ ધ્યાન આપી તેના પર મહેનત કરવી. } છેલ્લા સમયે મેઈન મુદ્દાઓ યાદ રાખવા. આખું વાંચવા ના બેસવું. } શાંતિથી વાંચશો તો સારંુ પર્ફોમન્સ આપી શકશો, પરીક્ષા દરમિયાન ટેન્શન ના લેવું. } બીજાના વિદ્યાર્થીઓના પેપર સારા ગયા તેવું વિચારી કમ્પેરીઝન ના કરવી જોઈએ. } એક્ઝામ પત્યા બાદ પેપર સોલ્વ કરવા અને કેટલા માર્ક્સ આવશે તેવું પ્રીડીક્ટ કરવા ના બેસશો.

}બાળકો સાથે ભણવા સિવાયની

ફટાફટ સ્પાઈસી-સ્વીટ શું ખાઈ શકાય ?ω { પોપકોર્ન કે પછી ભેળ ખાઈ શકાય. { પીણામાં કોલ્ડ કોફી, ડાર્ક ચોકલેટ મિલ્ક, ચોકલેટ

સિરીયલવાળુ દૂધ લઈ શકાય. ડાર્ક ચોકલેટ ખાઈ શકાય.

{ બહારનું ના ખાવું હોય તો બ્રાઉની ઘરે

બનાવેલી, દૂધમાંથી ઘરે બનાવેલો આઈસ્ક્રીમ, દૂધ પોંઆ ખાઈ શકાય.

પરીક્ષાર્થી અને નિરીક્ષકો પર સીસી ટીવી કે મ ર ે ાની બાજ નજર રહે શ ે જે કેન્દ્રો પર ટીવીની વ્યવસ્થા થઇ નથી ત્યાં ટેબલેટથી બાજ નજર રાખવામાં આવશે

સવારે હળદર, તુલસી આદુનં ો રસ લેવો,જેથી વાયરલ સામે રક્ષણ મળે

મોબાઇલ કે, તેના જેવા સંદેશા વ્યવહારના આધુનિક સાધનો લઇ જવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને તેનો ભંગ કરનારા સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે તેમ સ્પષ્ટ કરા્યું છે. પરિક્ષા કેન્દ્ર ફરતે ૧૪૪ની કલમ લાગશે ગાંધીનગર જિલ્લામાં તમામ પરિક્ષા કેન્દ્ર ફરતે ૨૦૦ મીટરની હદમાં ધમાલ નિવારવા માટે પરીક્ષાના અંતિમ દિવસ સુધી રોજ સવારે ૧૦થી સાંજે ૭ વાગ્યા સુધી ચાર કે તેથી વધુ વ્યક્તિએ એકત્ર થવા પર કલમ ૧૪૪ મુજબ પ્રતિબંધ લગાડવામાં આવી છે. શિક્ષણ મંત્રી વિદ્યાર્થીઓને આવકારાશે ધો-૧૦ અને ૧૨ના પરિક્ષાર્થીઓનું પરીક્ષાના પ્રથમ દિવસે દરેક પરીક્ષા કેન્દ્રમાં કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવશે ઉપરાંત ગોળધાણા આપીને વિદ્યાર્થીઓનું મોં મીઠુ કરાવી સારા પરિણામની શુભેચ્છા આપવામાં આવશે. ગાંધીનગરમાં પ્રથમ દિવસે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજરી આપશે.

પ્રશ્રપત્ર ફૂટવાની અફવાથી દૂર રહેવાની વિદ્યાર્થીઓને અપીલ ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર

પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પહેલાં વિદ્યાર્થીએ જાતે જ પોતાની તપાસ કરીને શરત ચૂકથી પણ પોતાની પાસે પરીક્ષાલક્ષી કોઇ સાહિત્ય રહી ગયુ હોય તો તેની ખાતરી કરી લેવી. તેમ કરવાથી ચેકીંગ આવે તે વખતે સમયનો બચાવ થશે અને વણજોઇતી પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે. પ્રશ્રપત્ર ફુટી ગયા છે કે, તેવી અફવાઓથી વિદ્યાર્થીઓએ દૂર રહેવ.ું ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓ સાદુ કેલક્યુલેટર સાથે રાખી શકશે પરંતુ ધોરણ૧૦ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાખડં માં કેલકયુલટે ર લઇ જવા પર પ્રતિબંધ રહેશ.ે જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા બોર્ડની પરીક્ષામાં ગેરરીતિની કોઇ જ ફરીયાદ ઉઠે નહીં તે માટે પરીક્ષા કેન્દ્ર પર દરરોજ દરેક વિદ્યાર્થીન ચ ું કે ીંગ કરીને જ પરીક્ષાખડં માં જવા દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તમામ વિદ્યાર્થીનું ફરજીયાત ચેકીંગ કરવાનું હોવાથી પરીક્ષાર્થીઓને પરીક્ષાના સમય પહેલા એક કલાકે કેન્દ્ર પર પહોંચી જવા જિલ્લા શિક્ષાણાધિકારીએ જણાવ્યું છ.ે જો કે, પરીક્ષાનો સમય ૧૮૦ મીનીટનો છે તે ઉપરાંત વિદ્યાર્થીઓને પેપર વાંચવા માટે ૧પ મીનીટનો સમય અલગથી આપવામાં આવશે. વિદ્યાર્થીઓ સારૂ પરિણામ મેળવી શકે તેવી ટીપ્સ આપતા જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું ક,ે ઉચ્ચ ગુણાંક મેળવવા ટાઇમ મેનજે મેન્ટ ખૂબ જરૂરી છે. ૧૦૦ માર્કસના પ્રશ્ર પત્રમાં સરેરાશ ૧ માર્કના લખાણ પાછળ દોઢ મીનીટ જેટલો સમય વિદ્યાર્થીએ ફાળવવો જોઇએ. ૧૦ માર્કના નિબંધ પાછળ ૧પથી ૧૬ મીનીટ કરતાં વધારે સમય ન આપવો જોઇએ. વિદ્યાર્થીએ વોર્નિંગ બેલ પહેલાં જ પ્રશ્ર પત્ર પુરુ કરીને છેલ્લી ૧૦ મિનિટમાં પૂરવણી ગણીને, નોંધ કરીને બાંધી દેવી જોઇએ.

} રાતે સૂતા પહેલા પોતાની સાથે

સાયન્સના વિદ્યાર્થીઓ વધુ

એક્ઝામ દરમિયાન 9 થી 12માં ધોરણના વિદ્યાર્થીઓનું 30 થી 40 ટકા કન્સલ્ટિંગ વધી જાય છે. સાયન્સના વિદ્યાર્થીઓ સૌથી વધારે કન્સલ્ટિંગ માટે આવે છે. - ડૉ. પ્રશાંત ભમાણી, કન્સલ્ટન્ટ સાઈકોલોજીસ્ટ

એક્ઝામ પ્રુફ ડાયટ :

લીંબુ પાણી, સંતરાનો જ્યુસ વધુ લો. સવારે હળદર આદુંનો રસ, તુલસી ખાવી તેથી વાયરલ સામે પ્રોટેકશન રહે. પરાઠા, કટલેસ,રાયતુ, સૂપ, ભાખરી શાક, ઢેબરાનો ખોરાક લેવો. - લિઝા શાહ, ન્યુટ્રીશીયાનીસ્ટ

ઉત્તરવહીમાં ધાર્મિક લખાણ કે કોઇ પણ નિશાનીઓ કરવાની પરીક્ષાર્થી ન ે મનાઇ ઉત્તરપોથીમાં વાદળી સિવાય કોઈ પણ શાહીથી લખેલા જવાબ ગેરરીતિ ગણાશે ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર

ધોરણ-૧૦ અને ૧૨ની ર્બોડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓની જેમ તંત્ર પણ તૈયાર છે. શિક્ષણ વિભાગ દ્વારા ગેરરીતિઓ અટકાવવા સૂચનાઓ અપાઇ છે તેમાં ઉત્તરવહીમાં કોઇપણ જગ્યાએ ઓળખની નિશાની સાબિત થાય તે પ્રકારે ધાર્મિક લખાણ કરવાનું નથી. ઇષ્ટદેવનું નામ પણ લખવાનું નથી. ત્રિશુલ, સ્વસ્તીક, ઓમ જેવા નિશાનો પણ કરવાના નથી કે, વધારાનો હાંસીયો પણ દોરવાનો નથી. પરીક્ષા આપવા સમયે કોઇપણ વિદ્યાર્થીએ પોતાની શાળાનો ગણવેશ પહેરવાનો નથી. જિલ્લા શિક્ષણાધિકારીએ પરીક્ષા સંદર્ભે કહ્યું કે, વિદ્યાર્થીઓ દ્વારા વાદળી શાહીના બદલે લાલ, લીલી કે, અન્ય રંગની શાહીની પેનથી ઉત્તરવહીમાં લખવામાં આવશે તો તેને પણ ગેરરીતિ ગણવામાં આવશે. વાદળી સિવાયની શાહીથી ઉત્તરો લખાયા હોય તો તેને સરકાર દ્વારા કરવામાં

નેશનલ હેન્ડલૂમ એક્સ્પોમાં 16 રાજ્યોની હસ્તકળા

વિરમગામ|વિરમગામ શહેરમાં આવેલ ગર્વેમેન્ટ સંચાલીત સ્કુલો તથા શેઠ એમ.જે પ્રાથમિક શાળાના 3,000 વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓને શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના આચાર્ય પુરુષોતમ પ્રિયદાસ સ્વામી મહારાજની આજ્ઞાથી શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન મંદિર વિરમગામ દ્વારા આજે બપોરે 3 કલાકે લુહાણા સમાજની વાડીમાં ગર્વમેન્ટ સંચાલિતા વિરમગામ શહેરમાં આવેલી સ્કુલોના 3,000 સ્કુલબેગ કીટનું વિતરણ કર્યું.

આવેલા નિયમનો ભંગ ગણવામાં આવશે એટલે કે, તેને ઓળખની નિશાની ગણીને ગેરરીતિનો કેસ કરવામાં આવશે. પીવાના પાણી માટેની બોટલ પારદર્શક લઇ જવાની રહેશ.ે પરીક્ષાર્થીએ વર્ગખંડમાં બેસતા પહેલાં પાટલી ઉપર કે, આસપાસ કોઇપણ પ્રકારની સાહિત્ય પડયું હોવાની બાબત ચકાસી લેવાની રહેશે અને તેવુ કાંઇ નજરે પડે તો ખંડ નિરીક્ષકનું ધ્યાન દોરવાનું રહેશ.ે પ્રશ્ર પેપર અપાઇ ગયા પછી તેના પર માત્ર બેઠક નંબર લખવાનો છે. તે સિવાયનું અન્ય કોઇ લખાણ કે, રફ કામ પણ કરવાનું નથી. ફીની રસીદમાં ખંડ નિરીક્ષકની સહી અવશ્ય લેવાની છે અને તેને પરિણામ આવે ત્યાં સુધી સાચવી રાખવાની છે. મુખ્ય ઉત્તરવહીના પાના ઉપર પણ બેઠક નંબર શબ્દોમાં અને આંકડામાં લખવાનો છે અને કેન્દ્ર નંબર તથા પોતાની સહી કરવાની છે. પરીક્ષાર્થીએ ઉત્તરવહી પર બાર કોડ સ્ટીકર ચોટાડેલું છે કે, નહીં તે ચકાસવાનું રહેશ.ે જિલ્લા શિક્ષણાધિકારીએ એમ પણ જણાવ્યું કે, પરીક્ષામાં ચોરી કરવી અથવા કરાવવી તે ફોજદારી ગુનો બને છે અને તેમ કરવા જતાં એક કે, તેથી વધુ વર્ષ બગડી શકે છે.

સ્વાઇન ફલૂના ઉકાળાની આડઅસરના પગલે વિદ્યાર્થીઓને ઉકાળો પીવડાવવાનું આયોજન રદ્દ

શરદી – ઉધરસના લક્ષણો ધરાવતા વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળે જ દવા અપાશે

કાશીનાથ મહાદેવ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા યજ્ઞ યોજાયો

ભાસ્કર ન્યૂઝ. સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 12 માર્ચથી ધો. 10 અને 12ની બોર્ડની વાર્ષિક પરીક્ષાઓનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે રાજયમાં સ્વાઇન ફલૂના હાહાકાર વચ્ચે વિદ્યાર્થીઓને સ્વાઇન ફલૂથી રક્ષણ મળે તે માટે પરીક્ષાના પ્રથમ દિવસે દરેક જિલ્લામાં સ્વાઇન ફલૂ પ્રતિરોધક ઉકાળો પીવડાવવાનું આયોજન કરાયુ હતુ. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વાઇન ફલૂના ઉકાળાની આડ અસરને ધ્યાને લઇ આ કાર્યક્રમ મોકૂફ રખાયો છે. જેના બદલે શરદી-ઉધરસ વાળા વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળે જ દવા આપવાનું આયોજન કરાયુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વાઇન ફલૂએ છેલ્લા એક માસ કરતા વધુ સમયથી હાહાકાર મચાવ્યો છે. ત્યારે તા. 12 માર્ચથી શરૂ થતી ધો. 10 અને 12ની વાર્ષિક પરીક્ષા પહેલા સ્વાઇન ફલૂના ડરથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. આ પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં પરીક્ષા સમિતિની યોજાયેલ બેઠકમાં અને જિલ્લા કલેકટર ઉદીત અગ્રવાલ, જિલ્લા

ધંધૂકા| ધંધૂકા તાલુકાના અડવાળ ગામ નજીક આવેલા કાશીનાથ મહાદેવનું શિવાલય આવેલ છે. આ શિવાલયના પ્રાંગણમાં શિવપુરી બાપુનું સમાધી સ્થાન છે. આ સમાધીસ્થાને મહાદેવનું શિવલીંગ, કાર્તિકેય સ્વામીની મૂર્તિ તથા કાળભૈરવની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.12-3 ગુરુવારથી 14-3 શનિવાર સુધી ચાલશે. આ પ્રસંગે યજ્ઞનું પણ આયોજન કરાયું છે. તા.12/3ના રોજ સંતવાણી યોજાશે.

બાવળામાં સિકોતર માતાજીના મઢે ભોજનાલયનું ઉદઘાટન

બાવળા |બાવળામાં રબારીવાસમાં આવેલા સિકોતર માતાજીના મઢે મોટા ભોજનાલયનો હોલ બનાવવામાં આવ્યો છે. આ ભોજનાલયનો ઉદઘાટન સમારોહ યોજાયો. આ પ્રસંગે લક્ષ્મી હવનનું પણ આયોજન કરાયું હતું. ઉદઘાટન નિમિતે રબારી સમાજ દ્વારા ગૌરવપથ રોડ ઉપર આવેલા સાંઇબાબા અન્નક્ષેત્રથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા ઘોડા, બગીઓ, બેન્ડવાજા, અબીલગુલાલની છોળો વચ્ચે અન્નક્ષેત્રથી ચાર રસ્તા, ધોળકા રોડ, પોલી સ્ટેશન થઇને સિકોતર માતાજીના મઢે પહોંચી હતી. ચાર રસ્તા ખાતે બાવળા એપીએમસીના ચેરમેન કાનભા ગોહેલે ભુવાઓને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.

પોલીસ સર્વિસ કોંગ્રેસનું આયોજન

ગાંધીનગર |મહાત્મા મંદિર પર યોજાનાર ઓલ ઇન્ડિયા પોલીસ સર્વિસ કોંગ્રેસનું આયોજન કરાયું છે. રાજ્યના પોલીસ વડાએ સંબંધિ માહિતી આપી હતી.-કલ્પેશ ભટ્ટ

10

અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ગ્રાઉન્ડ, હેલમેટ સર્કલ પાસે નેશનલ હેન્ડલૂમન એક્સ્પો2015નું આયોજન કરાયું છે. 20 માર્ચ સુધી સવારે 11 થી સાંજના 8 વાગ્યા સુધી એક્સ્પો ચાલુ રહેશે, જેમાં 16 રાજ્યોની 98 સંસ્થાઓએ તૈયાર કરેલા ડ્રેસ મટિરિયલ, બનારસી સાડી, તોરણો જેવી વિવિધ પ્રોડક્ટ્સ જોવા મળે છે.

શિક્ષણાધિકારી આર.સી.પટેલ, આરોગ્ય અને આયુર્વેદ વિભાગના ડોકટરો સાથે બેઠકનું આયોજન કરાયુ હતુ. જેમાં પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને સ્વાઇન ફલૂ પ્રતિરોધક ઉકાળો પીવડાવવાનું આયોજન કરાયુ હતુ. પરંતુ આયુર્વેદ વિભાગના ડોકટરોએ વિદ્યાર્થીઓને સ્વાઇન ફલૂનો ઉકાળો કડવો લાગે તેમ હોઇ તેનાથી ઉલટી થવાની શકયતા વ્યકત કરી હતી. આ ઉપરાંત સ્વાઇન ફલૂના ઉકાળાના લીધે ખંજવાળ સહિતની આડ અસરો પણ થઇ શકે તેમ હોવાની વાત જણાવી હતી. જયારે સ્વાઇન ફલૂના ઉકાળામાં તજ, લવીંગ સહિત 10થી વધુ ગરમ વસ્તુઓ નાંખવામાં આવતી હોવાથી તે વિદ્યાર્થીઓને ગરમ પડી શકે છે. આથી સ્વાઇન ફલૂનો ઉકાળો પીવડાવવાનું આયોજન રદ્દ કરાયુ હતુ. જયારે તેના બદલે સુરેન્દ્રનગર શહેર અને તાલુકા મથકોએ પરીક્ષા સ્થળેએ ડોકટરોની ઉપસ્થિતિમાં હેલ્થ ડેસ્ક ઉભો કરવામાં આવશે. જેમાં શરદી, ઉધરસના લક્ષણો ધરાવતા વિદ્યાર્થીઓને જરૂરી ટેબલેટ, સેનીટાઇઝર, થ્રી લેયર વાળા માસ્ક આપવામાં આવશે. જયારે સ્વાઇન ફલૂના પગલે પરીક્ષા કેન્દ્રનું મેદાન, તમામ વર્ગ ખંડો, સેનીટેશન યુનીટ, પીવાના પાણીની ટાંકી વગેરેની સફાઇ કરવાના પણ આદેશો કરાયા છે.


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.